Follow Us

દરેક બાળકને શિક્ષણનો અવસર – કારણ કે ભવિષ્ય બદલાય છે અહીંથી.

પ્રમુખ શ્રી વિજયભાઈ માલાભાઈ ભરવાડ

એક વિચાર રૂપી બીજ જ્યારે વટવૃક્ષ બને છે ત્યારે. વિજયભાઈ ના શબ્દો માં...

પરોપકારનું પ્રામાણિક પરિણામ એટલે "ગોકુલ ડેવલોપર્સ. મારી મહેનત કર્તવ્યનિષ્ઠા અને પ્રામાણિકતા નું શ્રેષ્ઠતમ થકી ગોકુલ ડેવેલોપર્સનું સ્વપ્ન એ સંપૂર્ણ ઈશ્વર ની ભેટ ની જેમ આકાર પામી, તેની સાથે સાથે મન અને હૃદય સમાજના વંચિતો અને માનવતાલક્ષી કાર્યો કરવા હંમેશા પ્રેરિત થઈ કંઈક સમાજનું ઋણ ચુકવવું એ વિચારે, ૨૦૦૯ માં માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ ની સ્થાપના કરી, બીજરોપણ કર્યું, સાથ, સહકાર અને સમાજપ્રેમ થકી સમાજ 에 દરેક આપત્તિ, મુશ્કેલી કે શિક્ષણ માટે પરિવર્તનના કાર્યમાં હર હંમેશ સંપૂર્ણ મદદ કરવા તત્પર હોવ છુ. ભગવાન જે પણ કંઈ નવી સૂઝ સાથે પરોપકારી કાર્ય સોંપે છે તે સંપૂર્ણ નિષ્ઠાથી પૂર્ણ કરવા કટીબધ્ધ બનુ છુ. કર્મ જ આપણી સાચી મૂડી છે એ મંત્ર સાથે આગળ વધી રહયો છુ તેમ મારી સેવા કાર્યની ટીમ પણ મોટી બનતી જાય છે એટલે દરેક સેવાના કાર્યોમાં સહકારથી સફળતા પ્રાપ્ત કરું છુ. શૂન્યમાંથી સર્જન કર્યું હોવાથી જરૂરિયાતમંદ લોકો ની પીડા સમજી હૃદય સુધી પહોચુ છુ. ટ્રસ્ટના ઘણા કાર્યો થકી સમાજ, અને રાષ્ટ્રભૂમી ને બનતા સરાહનીય કાર્યોમાં હંમેશા ધ્યેયનિષ્ઠ સાથે આગળ વધી રહયો છુ.

સંસદસભ્ય શ્રી સી.આર.પાટીલ ના હસ્તે ૨૦૦૯ માં પ્રથમ નોટબુક વિતરણ કાર્યક્રમ ની શરૂઆત.

માછી સમાજ ના સમૂહ લગન માં साल 2012 थी 2019 सुधी સતત સાત વર્ષ ભોજન ના દાતા તરીકે.

2009 थी બ્લડ કેમ્પનું સમયાંતરે આયોજન.

ટ્રસ્ટના કાર્યો

માછી સમાજ ના સમૂહ લગન માં સાલ 2012 થી 2019 સુધી સતત સાત વર્ષ ભોજન ના દાતા તરીકે.

2009 થી બ્લડ કેમ્પનું સમયાંતરે આયોજન.

સમાજમાં શિક્ષણ જાગૃતિ લાવવાના હેતુથી સને- 2017 માં 3070 કિલોમીટરનું દિન-6 માં શિક્ષણ રથ નું આયોજન કર્યું.

3070 કિમી 6 દિવસ માં શિક્ષણ જાગૃતિ રથ સંદર્ભે શ્રી અમિતભાઈ શાહ દ્વારા અભિનંદન.

2017-18 માં બનાસકાંઠા માં આવેલ પૂર માં પૂરપીડિતો ને 5,11,000.- નો ચેક કલેકટર શ્રી મહેન્દ્રભાઈ પટેલને અર્પણ.

કોરોના કાળમાં લોકડાઉન સમયે સુરત જીલ્લા માં 5000 રાશન-કીટનું વિતરણ.

મેં-2021 માં આવેલ તાઉ-તે વાવાઝોડા માં બરડા-ગીર વિસ્તારના તમામ અસરગ્રસ્ત વિસ્તાર ને 100 ટ્રક શ્વાસ, 1500 રાશન કીટ અને 900 સોલાર બેટરી.

કોરોના કાળમાં સુરત મહાનગર પાલિકાને શબવાહિની ની વાન અર્પણ.

ગાંધીનગર ખાતે પી.એસ.આઈ અને પોલિસ ના 700 થી વધુ વિદ્યાર્થીઓને રહેવા, જમવા, પ્રેક્ટિકલ તાલીમ, કોચિંગ ની ફ્રી માં વ્યવસ્થા.

માલધારી સૈનિકો ને અઘટિત ઘટના બને તો તેમના બાળકો ની શિક્ષણની તમામ જવાબદારી ટ્રસ્ટ લેશે.

માલાભાઈ સારાભાઈ ભડીયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ પ્રમુખ શ્રી વિજયભાઈ ભરવાડ તરફથી વિધવા ત્યકતા ગરીબ બહેનોને ગુજરાતમાં હરી આશરો પ્રોજેક્ટ હેઠળ 100 ઘર નું દાન.

ગાયમાં આવેલો લંપી રોગને જોતા લંપી થી પીડા મુક્ત કરવા 6 લાખથી વધુ દવાના ડોઝનું ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં નિ:શુલ્ક વિતરણ જેમાં 5000થી વધુ યુવાનો દવાને ગાયના પેટ સુધી પહોંચાડવાના અભિયાનમાં દિવસ રાત સેવામાં જોડાયા.

ટ્રસ્ટના ભવિષ્ય ના કાર્યો

01. અમદાવાદ કે ગાંધીનગર, સુરત, રાજકોટ, વડોદરા આ ચાર શહેરોમાં દીકરા દીકરીઓ માટે શૈક્ષણિક સંકુલ.
02. ગુજરાત ને કે સમાજને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે હંમેશા અમારુ ટ્રસ્ટ તત્પર રહેશે.
03. શહીદ પરિવારના સ્વજનોને ના દિવસે આર્થિક સહાય અને સન્માન.
04. ધોરણ-૯ અને ધોરણ-૧૧ ના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ ની પરીક્ષા લઈ અથવા માર્કશીટના આધારે આર્થિક રીતે પછાત વિદ્યાર્થી ને આર્થિક સહાય.
05. અનાથ અથવા પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને ભણાવવાનો ખર્ચ આપવો.
06. સ્ટેટ અને નેશનલ લેવલે સ્પોર્ટસ માં ગેમ્સ રમ્યા હોવ તેમનું સન્માન અને આર્થિક મદદ.
07. આર્થિક રીતે અતિ પછાત તેજસ્વી વિદ્યાર્થી ને દત્તક લઈ આર્થિક સહાય.
08. શાહિદ ના બાળકો ને શિક્ષણ આર્થિક સહાય.